ચોમાસાની વિદાય સમયે ફરી એક વખત મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે 24 તારીખ સુધી રાજ્યમાં માવઠું પડી શકે છે. જેમાં 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના છે. તો 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે.
જેના કારણે અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે.
આ પણ વાંચો : દીવાળી સૂધી માવઠા આવતા રહેશે, જાણો અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું હતુ કે અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. જેના કારણે 22 થી 24 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે અને ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. બરફ પડવાના કારણે ઠંડીમાં વધારો થશે.
આ પણ વાંચો : આ તારીખ સુધી કમોસમી વરસાદની સંભાવના, અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. જેમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29 થી 30 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તહેવારોમાં એટલે કે 1 થી 7 નવેમ્બર દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવવાની સંભાવનાઓ છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનતા વરસાદની શક્યતા રહેલી છે.