અનુસૂચિત જનજાતિના લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ આદિજાતિના લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ ઈકો ટેક્સી વાનની ખરીદી કરી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.
ઈકો ટેક્સી વાન સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?
મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે
અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજદાર પાસે ફોરવીલ વાહનનું પાકું લાયસન્સ હોવું જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
ઈકો ટેક્સી વાન સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
ફોટો
આધારકાર્ડ
ચૂંટણીકાર્ડ
રાશનકાર્ડ
જાતિનો દાખલો
આવકનો દાખલો
લાયસન્સ
તથા અન્ય
ઈકો ટેક્સી વાન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
આ યોજનામાં રૂપિયા 4,50,000 હજાર સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 20% પ્રમાણે ત્રિમાસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.50% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.a