Vishabd | ખેડૂતો માટે સારા સમાચાર! IFFCO એ ખાતરના ભાવમાં 14% સુધીનો ઘટાડો કર્યો, જાણો વિગતે ખેડૂતો માટે સારા સમાચાર! IFFCO એ ખાતરના ભાવમાં 14% સુધીનો ઘટાડો કર્યો, જાણો વિગતે - Vishabd
Vishabd
Whatsapp Group Join
ખેડૂતો માટે સારા સમાચાર!  IFFCO એ ખાતરના ભાવમાં 14% સુધીનો ઘટાડો કર્યો, જાણો વિગતે

ખેડૂતો માટે સારા સમાચાર! IFFCO એ ખાતરના ભાવમાં 14% સુધીનો ઘટાડો કર્યો, જાણો વિગતે

Team Vishabd by: Majaal | 09:13 AM , 22 February, 2023
Whatsapp Group

ભારતની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની IFFCO અથવા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ ખેડૂતોને મોટી રાહત આપતા તેના ઘણા ખાતરોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના ઉત્પાદનોની કિંમતમાં 14 ટકા સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે. હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ બાબતે માહિતી આપતાં કંપનીના અધિકારીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્યપદાર્થોની અછત અને ખેતી માટે ખાતરોની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગરીબ ખેડૂતોને ફાયદો થશે
IFFCO અધિકારીનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ ખેડૂતોને મહત્તમ ફાયદો થશે. તેનાથી તેમની ખેતીનો ખર્ચ ઘટશે. ખાતર બનાવવા માટે હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખાતરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનો ફાયદો હવે ખેડૂતોને થશે. આના કારણે દેશમાં કૃષિનું ઉત્પાદન વધશે અને સમગ્ર વિશ્વમાં અનાજ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

સરકાર ખેડૂતોને ખાતરના ઉપયોગ માટે સબસિડી આપે છે
દેશમાં ખાદ્ય સુરક્ષા જાળવવા માટે સરકાર ખેડૂતોને ખાતરના ઉપયોગ પર સબસિડી આપે છે. સરકાર ઘણી ખાતર કંપનીઓને 80 ટકા સુધીની સબસિડીનો લાભ આપે છે, જેના કારણે ખેડૂતોને તેનો લાભ મળે છે. IFFCO અધિકારીએ જણાવ્યું છે કે NPKS, એક મહત્વપૂર્ણ ખાતરની કિંમત 200 રૂપિયાથી ઘટીને 1200 રૂપિયા પ્રતિ થેલી પર આવી ગઈ છે. આ સાથે ખેડૂતોને ખરીફ સિઝનના વાવેતર ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે.

નાણામંત્રીએ ખાતર સબસિડી પર બજેટ 2023માં કાતર ચલાવી હતી
બજેટ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખાતર પરની સબસિડીમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વખતે સરકારે ખાતર સબસિડી માટે કુલ રૂ. 1.75 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં 22 ટકા ઓછી છે.  રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ખાદ્ય સંકટને ધ્યાનમાં રાખીને વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર સબસિડી વધારવાનો નિર્ણય લીધો હતો.  જેના કારણે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહ્યું છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ