Vishabd | ગુજરાતમાં હજી પણ આ તારીખમાં ધોધમાર વરસાદ!, અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં હજી પણ આ તારીખમાં ધોધમાર વરસાદ!, અંબાલાલ પટેલની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં હજી પણ આ તારીખમાં ધોધમાર વરસાદ!, અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતમાં હજી પણ આ તારીખમાં ધોધમાર વરસાદ!, અંબાલાલ પટેલની નવી આગાહી

Team Vishabd by: Akash | 03:08 PM , 21 October, 2024
Whatsapp Group

વરસાદને લઈને અંબાલાલ શું કહે છે? - rain forests

rain forests : ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. હજી પણ વરસાદી આફતો યથાવત રહેવાની સંભાવના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજી ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : શરદ પૂનમ પરથી આગોતરું એંધાણ, જાણો રમણીક ભાઈ વામજાની આગાહી

આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી! - rain forests

સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વરસાદથી ખેડૂતોને સાવચેત રહેવાનો અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન ખાતા દ્વારા રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ક્યાં જીલ્લાઓમાં મેઘો ભૂક્કા બોલાવશે?, આ જીલ્લામાં યલો એલર્ટ જાહેર, જાણો હવામાન ખાતાની નવી આગાહી

આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં હોલ્ડિંગ અને કેટલાક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની રમજટે કેટલાક રસ્તા પાણી-પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

અમદાવાદમાં વરસાદ પડતા શું થયું?

અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ખાબકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતાં રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચક્રવાત આવશે કે નહીં?

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ