Vishabd | મકરસંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી!, પવન રહેશે કે પછી પડશે માવઠું પડશે? મકરસંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી!, પવન રહેશે કે પછી પડશે માવઠું પડશે? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
મકરસંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી!, પવન રહેશે કે પછી પડશે માવઠું પડશે?

મકરસંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી!, પવન રહેશે કે પછી પડશે માવઠું પડશે?

Team Vishabd by: Akash | 04:48 PM , 30 December, 2024
Whatsapp Group

પતંગ રસિયાઓ જાણો અંબાલાલ પટેલની આગાહી? - Uttarayana forecast 

Uttarayana forecast : ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલમાં માવઠું પડ્યું છે જેને લઈને ખેડૂતો સહિત ઘણા ચિંતામાં છે. નોકરિયાત અને ધંધાદારી વર્ગ પણ આ દરમિયાનમાં ઠંડી માટે જેકેટ લઈને નીકળવું કે માવઠાને કારણે રેઈનકોટ લઈને નીકળવું પડતું હોય, તેવી અસમંજસમાં છે. બીજી તરફ મકરસંક્રાંતિનો પણ તહેવાર આવી રહ્યો છે. જેને લઈને પતંગ રસિયાઓને ચિંતા થવા લાગી છે કે ઉત્તરાયણના તહેવારમાં વરસાદ આવી જશે તો ક્યાંક પતંગો અને ફિરકી લઈને ધાબા પરથી નીચે દોટ તો નહીં મુકવી પડે ને. ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા હાલના દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : હજી તો ઠંડી વધશે!, સાથે ક્યાં જિલ્લાઓમાં વરસાદ પણ વરસશે?, અંબાલાલ પટેલેની ભારે આગાહી

ઉત્તરાયણ પર કેવો રહેશે પવન કે પછી માવઠાનું જોખમ? - Uttarayana forecast 

ઉત્તરાયણના દિવસોની આગાહી કરતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13, જાન્યુઆરી થી જાન્યુઆરીના માસમાં માવઠાની શક્યતા રહેશે!. તા. 14, જાન્યુઆરીએ પવન એકંદરે સાનુકૂળ રહેશે. 15, જાન્યુઆરીએ પણ પવન સારો રહેવાની શક્યતા રહેશે. આ 2 દિવસમાં ક્યારેક પવનની ગતિમાં ઢીલ મુકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ઠંડી હજી વધશે? જાણો હવામાન વિભાગની આજની જોરદાર આગાહી

ઉત્તરાયણ દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું!

ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પર્વને ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં સુધી કે વિદેશી મહેમાનો અને કેન્દ્રીય મંત્રીગણ અને રાજ્યકક્ષાના નેતાઓથી લઈને ગુજરાતી કલાકારો પણ પતંગના એટલા જ રસિયા છે. આ દિવસોમાં ઠેરઠેર હર્ષોલ્લાસ રહે છે. જોકે આપણો ઉલ્લાસ કોઈ માટે જોખમી સાબિત નહીં થાય તેનું ધ્યાન આપણે જ રાખવાનો સંકલ્પ કરવો જરૂરી બન્યો છે. ચાઈનિઝ દોરી કે વધુ કાચ પીવડાવેલી દોરી કોઈનો જીવ લઈ શકે તેટલી ઘાતક હોવાના ઘણા બનાવો અત્યારથી જ બનવા લાગ્યા છે તો આવી વસ્તુથી દૂર રહી સલામત ઉત્તરાયણ મનાવશું. અત્યારથી જ આ વાત એટલે કરવામાં આવી રહી છે કે હાલમાં જ ઘણા સ્થાનો પર ચાઈનીઝ દોરીઓના જથ્થા ઝડપાઈ ચુક્યા છે. જો ગ્રાહકની માગ છે તો કાળાબજારિયા જરૂર એક્ટિવ થશે, તેથી અવારનવાર ગુજરાત પોલીસ દ્વારા સલામત તહેવાર ઉજવવાને લઈને વાત કરવામાં આવતી હોય છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ